દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
અભિમાન

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુ
સકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે
ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનો
એક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે
અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથી
સુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે
સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો,
જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે
દોડીને શું કરીશ? ચાલવું જ ઊચિત છે.
એક ડગલું ભરતાં, પગ આકાશને આંબે છે.
મનફાવતી રીતે આંકુ છુ રેખાઓ હથેળીમાં
શું કરશે વિધાતા? નિયતી મારા તાબે છે.
Rate Entry3.60
( 5 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
5 comments has been posted.

monpara sanjay @  05/04/2006 08:32

very good gajal(s)....

Suresh Jani @  05/10/2006 07:51

આને અભિમાન કહીશું કે, આત્મ ગૌરવ ? હું જ્યાં સુધી આ કવિતાને સમજ્યો છું ત્યાં સુધી, આમાં માણસના વિચાર બદલાય તો માણસ કાળથી પર થઇ શકે છે તેવો ભાવ છે. રજની પાલંપુરીના શબ્દોમાં:-
બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
અભિમાન શિર્ષક આપીને આ ભાવને થોડો હીન નથી બનાવ્યો?

Jignesh  @  07/07/2006 03:07

Yes Mr. Suresh... about title i am completely agree with your opinion. But it's a nice creation in itself. Thanks for posting Rajni Palanpuri's words..

pravina Kadakia @  03/21/2007 12:13

શું કરશે વિધાતા? નિયતી મારા તાબે છે.

અતિશયોક્તિ છે. જો નિયતી તાબામાં આવી જયતો
જગત નુ----------

sagariika @  03/26/2007 09:17

શું હિંમત છે!!!

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો